• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • બાબા વેંગાની ડરામણી ભવિષ્‍યવાણી : આગામી વર્ષે શરૂ થશે ‘મહાયુદ્ધ' ! ઘટી જશે દુનિયાની વસ્‍તી, ૨૦૩૩માં ડૂબી જશે ઘણા સમુદ્રી દેશ

બાબા વેંગાની ડરામણી ભવિષ્‍યવાણી : આગામી વર્ષે શરૂ થશે ‘મહાયુદ્ધ' ! ઘટી જશે દુનિયાની વસ્‍તી, ૨૦૩૩માં ડૂબી જશે ઘણા સમુદ્રી દેશ

10:44 AM July 30, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Baba Vanga Predicition : અમેરિકાના ઈતિહાસમાં ૧૧ સપ્‍ટેમ્‍બર ૨૦૦૧તે તારીખ છે, જેને કોઈ વ્‍યક્‍તિ ભૂલી ન શકે. આ દિવસે ઓસામા બિન લાદેનના આતંકી સંગઠન અલકાયદાએ તેની બે ગગનચુંબી ઈમારતો પર વિમાન ટકરાવી ત્રણ હજાર લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ હુમલાના ષડયંત્ર વિશે અમેરિકા સહિત કોઈ દેશના નેતાને ખબર પણ પડી નહોતી. પરંતુ એક વ્‍યક્‍તિ એવી હતી, જેણે આ હુમલા વિશે પહેલા જ ભવિષ્‍યવાણી કરી દીધી હતી. તે વ્‍યક્‍તિ કોઈ અન્‍ય નહીં બાબા વેંગા હતા, જેણે અમેરિકાને આ હુમલા વિશે પહેલા ચેતવ્‍યું હતું.

► કોણ છે બાબા વેંગા?

મૂળ રૂપથી બુલ્‍ગારિયાના રહેવાસી બાબા વેંગાનું અસલી નામ વેંજેલિયા પાંડેવા ગુશ્‍ટેરોવા હતું. તે બાળપણમાં બરાબર હતા, પરંતુ એક દુર્ઘટનામાં તેમણે આંખની રોશની ગુમાવી દીધી હતી. ત્‍યારબાદ તેમણે હિંમત ન હારી અને પોતાની દૂરદ્રષ્ટિથી ભવિષ્‍યમાં થનારી ઘટનાઓનું અનુમાન લગાવી ભવિષ્‍યવાણી કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ ૧૯૯૬માં ૮૫ વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. તેમણે ન્‍યૂયોર્કમાં ટ્‍વિન ટાવર્સ પર થયેલા હુમલાની ભવિષ્‍યવાણી પહેલા જ કરી દીધી હતી. અમેરિકી ભવિષ્‍યવેત્તા માર્કા અનુસાર બાબા વેંગાએ પોતાની ભવિષ્‍યવાણીમાં કથિત રીતે કહ્યું હતું કે બે ધાતુ પક્ષી (વિમાન) આપણા અમેરિકી ભાઈઓ સાથે ટકરાશે, ઝાડીઓમાંથી વરુઓ રડશે અને નિર્દોષોનું લોહી નદીઓમાં વહેશે. આ કરીને તેણે ભવિષ્‍યની ઘટનાને સંકેતોમાં પહેલેથી જ પૂર્વદર્શન આપ્‍યું હતું.

► બાબા વેંગાની આગામી વર્ષ માટે મોટી ભવિષ્‍યવાણી

હવે બાબા વેંગાએ આગામી વર્ષ માટે મોટી ભવિષ્‍યવાણી કરી હતી, જેનાથી લોકોમાં ડર વધી રહ્યો છે. તેમના સમર્થકો પ્રમાણે બાબા વેંગાની ભવિષ્‍યવાણી છે કે વર્ષ ૨૦૨૫માં યુરોપમાં એક મોટો સંઘર્ષ થશે. આ સંઘર્ષથી યુરોપની જનસંખ્‍યામાં ભારે કમી આવશે અને લોકો ખાવા-પીવા માટે મોહતાજ થઈ જશે. તેની અસર દુનિયા પર પણ પડશે અને વૈશ્વિક સપ્‍લાય ચેન ડિસ્‍ટર્બ થઈ જશે. તેનાથી દુનિયામાં આર્થિક મંદીનો પ્રભાવ પણ પડશે.

► માનવી ૨૦૨૮માં શુક્ર ગ્રહ સુધી પહોંચવામાં સફળ થશે

તેમણે ભવિષ્‍યવાણી કરી છે કે ઉર્જાની શોધ માટે માનવ વર્ષ ૨૦૨૮માં શુક્ર ગ્રહ સુધી પહોંચવામાં સફળ થઈ જશે. આગામી કેટલાક વર્ષોમાં થનારી ઘટનાઓ વિશે જણાવતા બાબા વેંગાએ કહ્યું કે વર્ષ ૨૦૩૩માં પળથ્‍વીના બંને ધ્રુવો પર બરફ ઓગળવાના દરમાં સક્રિયતા આવશે. જેના કારણે ગ્‍લેશિયર્સનું ઓગળેલું પાણી સમુદ્રમાં પહોંચશે, જેનાથી જળસ્‍તર ખુબ વધી જશે. તેનાથી નિચલા વિસ્‍તારમાં રહેતા માલદીવ જેવા ઘણા દેશ ડૂબી જશે. ત્‍યારબાદ વર્ષ ૨૧૭૦માં વૈશ્વિક દુષ્‍કાળ પડશે.

► ૨૦૭૬માં સમગ્ર ગ્રહ પર સામ્‍યવાદ પરત આવશે

દુનિયામાં ભવિષ્‍યમાં કેવા રાજકીય ષડયંત્ર થશે, તેના વિશે વાત કરતા બાબા વેંગાએ ભવિષ્‍યવાણી કરી છે કે ૨૦૭૬માં સમગ્ર ગ્રહ પર સામ્‍યવાદ પરત આવશે. એલિયન પર વાત કરતા તેમણે ભવિષ્‍યવાણી કરી છે કે મનુષ્‍ય ૨૧૩૦માં અલૌકિક સભ્‍યતાઓ સાથે સંપર્ક બનાવવામાં સક્ષમ થઈ જશે. ત્‍યાં સુધી માનવ તકનીક વિકસિત થઈ ચૂકી હશે કે ૩૦૦૫ માં મંગળ ગ્રહ પર યુદ્ધ પણ થશે. આ સંઘર્ષ એટલો વધી જશે કે પૃથ્‍વી ૩૭૯૭માં નષ્ટ થઈ જશે.


 Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Baba Vanga Predicition : બાબા વેંગાની ડરામણી ભવિષ્‍યવાણી - baba-vanga-prediction-in-for-2025-know-what-was-said-for-india-big-tragedy-will-happen



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us